Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

વિજયનગરના ખેરવાડા ગામની સીમમાં અજાણ્યા વાહનની હડફેટે રાજસ્થાનના બાઈક ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ

વિજયનગર: તાલુકાના ખેરવાડા ગામની સીમમાં શંકર ડુંગરી પાસે અજાણ્યા વાહનની ટક્કરે રાજસ્થાનના ઝાડોલ વિસ્તારના બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઉદેપુર જિલ્લાના ઝાડોલના ચાલીબો કડા અંબાસા ગામના કાવજીભાઈ ટાલજીભાઈ સરપોટાએ ફરિયાદ નોંધાવી હતી. ચાર ભાઈઓ મહેતાજીમગનજીદીતાજી અને ગામના બીજા માણસો પરસોડા ગામે મરણ પ્રસંગે બેસણામાં ગયા હતા અને નાનોભાઈ પુનાજી રાજસ્થાનમાં પાદર ગામે તેને મામાજીના ઘરે બારમું હોઈ પોતાનું બાઇક રાજસ્થાન જવા માટે સવારના દસ વાગ્યાના સુમારે નીકળ્યા હતા અને બીજા ભાઈઓ પરસોડા ગામે ગયા હતા.

દરમિયાન બપોરના આસરે એક વાગ્યાનાસ સુમારે નાના ભાઈ પુનાજી શંકરડુંગરીથી આગળ વિજયનગર જતાં રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ફંગોળાઈ ગયું હતું અને બાઇકના ચાલક પુનાજી ટાલજીભાઈ સરપોટા (ઉ.વ.-૩૫) ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વાહનની ટક્કર એટલો ભારે હતી કે મૃતકનું બાઇક પણ ભુક્કા બોલી ગયું હતું. પુનાજીની લાશ વિજયનગર સરકારી દવાખાને પીએમ માટે મોકલીને વિજયનગર પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:20 pm IST)