Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

તિલકવાડાના નલીયા ગામના રેલ્વે પુલ નીચે 21 વર્ષના પરપ્રાંતીની મોતની છલાંગ

નલીયા ગામના રેલવે પૂલ પરથી મૃતક યુવાનની બાઈક મળી : હત્યા કે આત્મ હત્યા તપાસનો વિષય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તિલકવાના નલીયા ગામના રેલવે બ્રીજ નીચેથી એક પરપ્રાંતીય 21 વર્ષના યુવાનનો મૃતદેહ મળ્યો રેલવે બ્રીજ ઉપર તેની મોટર સાયકલ પણ મળી આવી ત્યારે તેણે જાતે ભૂચકો મારીને આત્મહતા કરી છે કે પછી કોઈએ ફેંકી દીધો છે જે બાબતની પોલીસ હાલ તાપસ ચલાવી રહી છે પરંતુ ખબર આપનારની ફરિયાદના હિસાબે પોલીસે હાલ માં આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તિલકવાડાના ડબી ફરિયામાં વિઠ્ઠલભાઇ દેસાઇભાઇ વસાવાના મકાનમા રહેતા અને મૂળ  ડાંગખજરી ગામ પાંચ.જાલુન (યુ.પી) ના રહીશ લાલમંદ રધુવીર કુશવાહાએ પોલીસને જાણ કરી કે તેની સાથે 21 વર્ષીય સુરજભાઇ મહેશભાઇ કુશવાહ પણ સાથે રહેતો હતો. ગત રોજ  કોઇ કારણસર નલીયા ગામના પુલ ઉપર પોતાની મોટર સાયાકલ નાળા પાસે ઉભી રાખી નાળા ઉપરથી રેલ્વે ટ્રેક ઉપર કુદકો મારી અથવા બીજી કોઇપણ રીતે પોતાની જાતે આપધાત કરેલ જેથી તિલકવાડા પીએસઆઇ એ.એમ.વસાવા તેમની ટીમ જાતે જઈ તપાસ કરતા હાલ આત્મઘાતની ફરિયાદ નોંધી કયાં કારણ સર આ પગલું ભર્યું કે કોઈ દુશ્મની નો અંજામ છે જે અંગે પોલીસ તપાસ હાથ ધારી રહી છે.

(12:25 am IST)