Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ભાજપ માનીતા વેપારીઓને ચીકીનો કોન્ટ્રેક્ટ આપી એજન્ડા સેટ કરવા માગે છે : જગદીશ ઠાકોરનો આક્ષેપ

શકિતપીઠ અંબાજીમાં મોહન થાળ પ્રસાદને બંધ કરવાના વિરોધ વચ્ચે રાજનીતિ ગરમાઈ

અમદાવાદ :  શકિતપીઠ અંબાજીમાં મોહન થાળ પ્રસાદને બંધ કરવાના વિરોધ વચ્ચે રાજનીતિ ગરમાઈ છે. જેમાં મોહનથાળ પ્રસાદ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે.કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે પ્રસાદ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં જગદીશ ઠાકોરે આક્ષેપ કર્યો કે ભાજપ માનીતા વેપારીઓને ચીકીનો કોન્ટ્રેક્ટ આપી તેમનો એજન્ડા સેટ કરવા માગે છે. બીજી તરફ ભાજપે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે પ્રસાદનો મુદ્દો ટ્રસ્ટ અને ભક્તો વચ્ચેનો છે. જેમાં સરકાર પ્રસાદ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવશે.

   
(11:51 pm IST)