Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પાટણ નશામુકિત કેન્‍દ્રમાં યુવાનની હત્‍યામાં સામેલ જયદીપ રૂપાપરાને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યો

કોન્‍સ. એભલભાઇ બરાલીયા, હરપાલસિંહ જાડેજા અને  મહેશભાઇ ચાવડાની બાતમીઃ ૧ર દિ પહેલા મહેસાણાના હાર્દિક સુથારની હત્‍યા કરી હતી : કુદરતી મોતમાં ખપાવવા જતા સી.સી.ટીવી ફૂટેજમાં ભાંડો ફૂટયો

રાજકોટ, તા. ૧૩ :  પાટણના જયોના નશામુકતી કેન્‍દ્રમાં ગત તા. ૧૭ ના રોજ મહેસાણાના યુવાનની હત્‍યા કરવાના ગુનામાં સામેલ રાજકોટના શખ્‍સને ક્રાઇમબ્રાંચે શ્રીનાથજી સોસાયટીમાંથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ પાટણના જયોના નશામુકતી કેન્‍દ્રમાં મહેસાણાના હાર્દિક રમેશભાઇ સુથાર કે જેને દારૂ અને માદક પદાર્થોની લત હોઇ છ માસથી ત્‍યાં રાખવામાં આવ્‍યો હતો. પરંતુ તેની હાલતમાં કોઇ સુધારો થયો ન હતો દરમ્‍યાન ગત તા. ૧૭/૧ ના રોજ હાદિકિનું બીમારી સબબ મોત થયાની જાણ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ બાદમાં પોલીસે સીસીટીવી ચેક કરતા હાર્દિકને સાતથી આઠ શખ્‍સોએ બાંધની મારકુટ કરતા હોવાનું નજરે પડતા મળતકના મામાએ પાટણ બી-ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ બનાવમાં છ શખ્‍સોની ધરપકડ થઇ હતી. જયારે રાજકોટ મવડીની શ્રીનાથજી સોસાયટીમાં શેરી નં. ૧ માં રહેતો અને બે માસથી દારૂની લત છોડાવવા ગયેલો જયદીપ ધીરૂભાઇ રૂપાપરા (ઉ.વ.ર૭) પણ આ હત્‍યામાં સામેલ હોવાનું બહાર આવ્‍ય઼ુ હતું. આ ગુનામાં જયદીપ ફરાર હતો. દરમ્‍યાન ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ કોન્‍સ. એભલભાઇ બરાલીયા અને હરપાલસિંહ જાડેજા અને મહેશભાઇ ચાવડાને બાતમી મળતા પીએસઆઇ એ.એસ. ગરચર હેડ દિપકભાઇ ચૌહાણ, નિલેષભાઇ ડામોર, કોન્‍સ. એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા તથા હરપાલસિંહ જાડેજા સહિતે આરોપી જયદીપ રૂપાપરાને શ્રીનાથજી સોસાયટી માંથી પકડી લીધો હતો

(4:14 pm IST)