Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ભૂસ્‍તર વિજ્ઞાન અને ખનિજ કમિશન કચેરીમાં કુલ ૫૬૨ જગ્‍યાઓ ખાલી

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૩ : રાજ્‍ય સરકારે ધારાસભ્‍યના પ્રશ્નના જવાબમાં માહિતી આપેલ કે, ભૂસ્‍તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરીમાં વર્ગ-૩ની ૮૧૨ મંજુર જગ્‍યાઓની સામે ૫૦૦ જગ્‍યાઓ ખાલી છે. કમિશનરની કચેરીમાં વર્ગ-૨ની ૬૭ મંજુર જગ્‍યાઓની સામે ૪૨ જગ્‍યાઓ ખાલી છે. ભુસ્‍તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરીમાં વર્ગ-૧ની ૫૦ મંજુર જગ્‍યાઓની સામે ૨૦ જગ્‍યાઓ ખાલી છે. કુલ ૫૬૨ જગ્‍યાઓ ખાલી છે.

(5:10 pm IST)