Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

આરોહણ સ્‍પર્ધા માટેસરકારને ૪૮ લાખ ખર્ચ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૩ :.. રાજયમાં આરોહણ - અવરોહણ સ્‍પર્ધાના કરવામાં આવેલ આયોજન અંગે ભાજપના રાજેન્‍દ્રસિંહ રાઠવાના પ્રશ્નના ઉતરમાં યુવક એવા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું હતું કે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ સ્‍પર્ધામાં રાજકોટના ઓસમ, સુરેન્‍દ્રનગરના ચોટીલા, સાબરકાંઠાના ઇડરીયોગઢ, તેમજ પંચમહાલના પાવાગઢ પર્વતો ઉપર આ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.  આ સ્‍પર્ધા પાછળ તા. ૩૧-૧ર-રર ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ ૪૮ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે.

(4:29 pm IST)