Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જી. એસ.ટી.ના રૂા. ર૧૬૭ર ૯૦ કરોડ કેન્‍દ્ર તરફથી ગુજરાતને મળવાપાત્ર

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૧૩ :.. કેન્‍દ્ર સરકાર પાસેથી જી. એસ. ટી. ની બાકી રકમ અંગે કોંગ્રેસના કિરીટભાઇ પટેલના એક પ્રશ્નના ઉતરમાં નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે જી. એસ. ટી.ના વળતર અન્‍વયે કેન્‍દ્ર સરકાર પાસેથી તા. ૧-ર-ર૧ થી ૩૧-૧-રર માટે રૂા. ર૧,૬૭ર.૯૦ કરોડ મેળવવાના થાય છે.

આ રકમમાંથી ૩૧-૪-રર ના રોજ રૂા. ૩૩૬૪. કરોડ, તા. ર૪-૧૧-રર ના રોજ રૂા. ૮રપ.૭૩ કરોડ વળતર પેટે મળેલ છે. જે રકમ વળતર તરીકે મળેલ નથી તેની  સામે લોન પેટે રૂા. ૧પ,૦૩૬.૮પ કરોડ મળેલ છે. જેની વ્‍યાજ સહિતની ચુકવણી કેન્‍દ્ર સરકાર એસ. ફંડમાંથી કરશે.

(4:29 pm IST)