Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

આણંદ નજીક સામરખા ગામે ઊંઘી રહેલ પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 2.64 લાખની મતા ચોરી છૂમંતર....

આણંદ : આણંદ પાસેના સામરખા ગામે પરિવાર મીઠી નિંદ્રા માણી રહ્યો હતો ત્યારે ત્રાટકેલ તસ્કરોએ અન્ય રૂમમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂા..૬૪ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી છે. બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

 આણંદ પાસેના સામરખા ગામની જુની દુધની ફેરી નજીક ભોઈ નિવાસમાં ગીતાબેન નરેન્દ્રભાઈ ભોઈ પરિવાર સાથે રહે છે. ગઈકાલ રાત્રિના સુમારે વાળુપાણી પતાવી તેઓ ઘરની બાજુના રૂમને લોક મારી બીજા રૂમમાં પરિવાર સાથે સુઈ ગયા હતા. દરમિયાન આજે વહેલી સવારના પાંચેક વાગ્યાના સુમારે અચાનક ગીતાબેનની આંખ ખુલી હતી અને તેઓએ તપાસ કરતા તેમની રૂમનો દરવાજો બહારથી બંધ હોવાનું જણાયું હતું. જેથી પાડોશી પાસે તેઓએ રૂમનો દરવાજો ખોલાવ્યો હતો અને બહાર જઈ જોતા બીજા રૂમનો દરવાજો ખુલ્લો હોવાનું જણાતા તેઓએ અન્ય પરિવારજનોને જણાવ્યું હતું. જેથી પરિવારના સભ્યોએ રૂમમાં જઈ જોતા રૂમનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ગાયબ હોવાનું જણાયું હતું.

(6:19 pm IST)