Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

અમેરિકા રહેતા એન.આર.આઇ.ના અલકાપુરીમાં આવેલા બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી સવા લાખની મત્તા ચોરી ગઇ હતી.જે અંગે સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.

અલકાપુરીની અરૃણોદય સર્કલ પાસે ગાયત્રી કુટિરમાં મકાન ધરાવતા ગીતાબેન અશોકકુમાર અમેરિકા રહેતા હોવાથી તેમનો બંગલો બંધ  હાલતમાં છે.તેઓ બે વર્ષે એકાદ વખત અહીંયા આવે છે.ગત તા.૧૦ મી ગીતાબેને અમેરિકાથી ફોન કરીને અમદાવાદ રહેતા ભાઇને કહ્યું હતું કે,ગાયત્રી   બંગ્લોઝમાં ચોરી થઇ છે.તમે ત્યાં જઇને તપાસ કરો.જેથી,ગીતાબેનના ભાઇએ આવીને તપાસ કરતા મકાનના  પાછળની બાજુએ કાચની બારીની લોખંડની ગ્રીલ કાપી નાંખેલી હાલતમાં હતી.ચોર ટોળકી ઘરમાંથી ચાંદીની મૂર્તિઓ,વાસણો, ટી.વી.,કેમેરા,કિંમતી ઘડિયાળો,સાડીઓ મળી .૨૫ લાખની મત્તા ચોરી ગઇ હતી.સયાજીગંજ પોલીસે અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ  ધરી છે.

(6:24 pm IST)