Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

નરખડી ગામ પાસે તથા ભાદરવા ચોકડી પાસે થયેલા બે અકસ્માતમાં ત્રણ લોકોને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામના પાટિયા પાસે અને ભાદરવા ચોકડી પાસે થયેલા બે અકસ્માતમાં કુલ ત્રણ લોકોને ઈજા થઈ છે

 મળતી માહિતી અનુસાર નરખડી ગામના પાટિયા પાસે થયેલા અકસ્માતની વિગતમાં ચિરાગભાઈ સુરેશભાઈ બારીયા(રહે.કોઠારા,નિશાળ ફળીયું તા,નાંદોદ જી.નર્મદા) ની ફરિયાદ મુજબ તેઓ તથા વિધ્યાબેન સુરેશભાઈ બલાભાઈ બારીયાનાઓની સાથે પોતાના ધરે કોઠારા ગામેથી પોતાની મોટર સાયકલ જેનો નંબર GJ-22-F- 9533 લઈને કોઠારા ગામની સીમમાં આવેલ હનુમંતેશ્વર મંદીર નજીક આવેલ તુવરે કરેલ ખેતરમાં પાણી વાળવા માટે કોઠારા ગામેથી રૂંઢ ચોકડી થઈને જતા હતા તે વખતે નરખડી ગામના પાટીયા પાસે રાજપીપલા તરફથી આવતી ફોર વ્હિલ સ્વિફ્ટ ડીઝાયર ગાડી નંબર GJ-06-FC-6050 પુરઝડપે હંકારી લાવી આ કામના ફરિયાદીની મોટર સાયકલને પાછળથી એકસીડન્ટ કરી ફરીયાદીને તથા વિધ્યાબેન નાઓને ઈજાઓ કરી હતી રાજપીપળા પોલીસે ફોર વ્હીલ ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે
જ્યારે બીજી ઘટના ભાદરવા ચોકડી પાસે બની જે એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડી નં GJ-01-C2-0909 નો ચાલક નાએ પુર ઝડપે અને ગફલત ભરી રીતે દેવલીયા તરફથી હંકારી લાવી ઇજા પામનાર ફરીયાદી ભાદરવા ચોકડી રોડ ક્રોસ કરતા તે વખતે ફોરવ્હીલ ગાડી નં.GJ- 01-CZ-0909 ગાડીના ચાલકે જાનીયાભાઇ મોહનભાઈ વસવા, રહે. બારખાડી તા.ગરુડેશ્વર નાઓની મો.સા.નં GJ.22, L.5694 ને ટક્કર મારી રોડ ઉપર પાડી દઈ ઇજા કરી ગુનો કરતા ફોર વ્હીલ નાં ચાલક સામે તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

 

(11:18 pm IST)