Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કોરોનાએ ફરી માથું ઉચક્યું છે ત્યારે ઘરમાં સેનેટાઈઝર રાખતા પહેલા ચેતજો : નર્મદા જિલ્લામાં મહિલા દાઝી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે જેમાં ગુજરાત રાજ્યમાં ઘણા કોરોનાનાં કેસ નોંધાયા હોય લોકો સાવચેતીનાં કારણે ઘરમાં માસ્ક, સેનેટાઈઝર સહિતની વસ્તુઓ રાખતા હોય છે પરંતુ સેનેટાઈઝર જ્વલંત જેવી વસ્તુ હોવાથી તેને ઘરમાં સાવચેતી રીતે રાખવી જરૂરી છે કેમ કે નર્મદા જિલ્લામાં એક મહિલા દાઝી જતા સારવાર હેઠળ રખાઈ છે

 મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભિતાડા ગામમાં રહેતા કંકુબેન રમેશભાઇ વસાવાનાઓ પોતાના ઘરે અંધારામા સેનેટાઇઝર ઠોળાઇ જતા દિવાસળી સળગાવતા તેમને પગમા બન્ને જાગ ઉપર થાપાના ભાગે કમરના ભાગે તથા હાથના ભાગે દાઝી જતાં તેઓને રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા હતા.

 

(11:19 pm IST)