Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સેલંબા અંબાજી મંદિર ખાતે VHP, બજરંદળ નાં હોદેદારો એ મોહનથાળ નો પ્રસાદ આપી વિરોધ દર્શાવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના સુપ્રસિધ્ધ અંબાજી મંદિરમાં વર્ષોથી મોહનથાળનો પ્રસાદ આપવામાં આવતો હતો તે બંધ કરવામાં આવ્યો હોવાના કારણે શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે. અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ થાય તે માટે સૌ ભક્તોની માંગણી છે ત્યારે સાંજે શ્રી અંબે માતાજીના મંદિર સેલંબા ખાતે આરતી પછી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા મોહનથાળનો પ્રસાદ આપી વિરોધ દર્શાવ્યો હતો, મંદિર ખાતે થયેલી આરતી માં વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગદળના જિલ્લા ઉપાધ્યક્ષ પ્રેમભાઈ વસાવા, સાગબારા અધ્યક્ષ મેહુલભાઈ અગ્રવાલ , ગામના વડીલો, ભાઈઓ બહેનો તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સાગબારાના પદાધિકારીઓ તથા કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા

 

(11:21 pm IST)