Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રાજ્યના તબીબી સિક્ષકોના 10 પ્રશ્નોના નિરાકરણને મંજૂરી આપતા નીતિનભાઈ પટેલ

મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આરોગ્ય વિભાગના અધિકારીઓ વચ્ચે ચર્ચા બાદ સૂચનને મંજૂરી

અમદાવાદ :  રાજ્યના તબીબી સિક્ષકોના 10 પ્રશ્નોના નિરાકરણનેનાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મંજૂરી આપી છે, હાલના પ્રશ્ન અને નીતિનભાઈ પટેલ યુ એન મહેતા હોસ્પિટલમાં હતા ત્યારે એસો,ના પ્રમુખ સાથે વાતચીત કરી હતી અને શક્ય એટલા વ્યાજબી પ્રશ્નોનું નિરાકરણ લાવવા વાત કરી હતી,એ વખતે નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં હું કોરોના ગર્ટ્સ છું,પણ વહેલી તકે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે તમારી મિટિંગ કરાવી પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું

આજે આ કર્મચારીઓના 10 પ્રશ્નોનું નિરાકરણ કરવા મંજૂરી આપી છે કોરોનાની આ ગંભીર પરિસ્થિતિમાં હજારો દર્દીઓને તકલીફ ના પડે,તે માટે મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ જે ચર્ચા કરી ને જે સૂચનો કર્યા તેને મંજૂરી આપી છે બધા તબીબી શિક્ષકો માનવતાની રીતે નૈતિક્તાથી પુરેપુરી ફરજ બજાવશે તેવી આશા છે

 આરોગ્ય વિભાગના અન્ય કર્મચારીઓના વ્યાજબી અને યોગ્ય પ્રશ્નોના નિરાકરણ માટે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું છે

(9:11 am IST)