Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

અમદાવાદમાં ભગવાન જગન્‍નાથની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળીઃ સાબરમતીનું જળ 108 કળશમાં ભરીને નિજ મંદિરમાં પૂજન

આ જળાભિષેકથી મંદિરમાં શોડષોપચાર પુજાવિધી કરવાની પરંપરાઃ હર્ષ સંઘવી સહિતનાની ઉપસ્‍થિતિ

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્‍નાથની રથયાત્રા પૂર્વે જળયાત્રા નીકળી સાબરમતી નદીના કિનારે પહોંચી હતી ત્‍યાંથી 108 કળશમાં જળ ભરી નિજ મંદિરમાં જળાભિષેક કરવામાં આવે છે. આ પૂજાવિધીમાં ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી સહિત અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા પૂર્વ આજે જળયાત્રા નીકળી છે. જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી ગઈ છે, અને ત્યાંથી 108 કળશમાં જળ ભરીને નિજ મંદિરે પહોંચશે, જ્યાં ભગવાન જગન્નાથજીનો જળાભિષેક થશે. આ પ્રસંગે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ દિલિપદાસજી મહારાજ સાથે પૂજનમાં બેઠા હતાં. અહીં મંદિરમાં શોડષોપચાર પૂજા વિધિ કરવામાં આવશે અને ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થશે.

નોંધનીય છે કે, ગૃહરાજ્યમંત્રી, હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર કિરીટ પરમાર દિલીપદાસજી મહારાજ સાથે સાબરમતી નદીના ભૂદરના આરે પૂજામાં બેઠા છે.

(5:18 pm IST)