Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં પતિના દિર્ઘાયુષ્ય માટે અખંડ સૌભાગ્યવતી મહિલાઓએ વડસાવિત્રી વ્રત કર્યુ

વડના વૃક્ષનું પૂજન, સુતરના દોરા વીટાળી વડની પ્રદક્ષીણા કરી વ્રતધારી બહેનોએ ઉપવાસ કર્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિમાં જેઠ મહિનાનું ધાર્મિક દ્રષ્ટીકોણથી વિશેષ મહત્ત્વ છે. જેઠ મહિનાની પૂનમને વટ કે વડસાવિત્રી પૂનમ તરીકે વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં ઉજવવામાં આવે છે. વડસાવિત્રી પુનમના દિવસે વિરમગામની સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દિર્ઘાયુષ્ય માટે વટસાવિત્રીનું વ્રત કરી ઉપવાસ કરવામાં આવ્યો છે.  

ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી સાવિત્રી-સત્યવાન સાથે જોડાયેલા વડસાવિત્રી વ્રતનો મહિમા ગવાતો આવ્યો છે. યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવી સાવિત્રી આદર્શ નારીત્વ અને પતિવ્રતા ધર્મનું પ્રતિક બની ગયા હતા. તેથી દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે અખંડ સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના જીવનસાથીના લાંબા અને સ્વસ્થ્ય આયુષ્ટ માટે વડસાવિત્રી વ્રતને માનવામાં આવે છે. વિરમગામ શહેર સહિત અમદાવાદ જિલ્લામાં સૌભાગ્યવતી બહેનો સોળે શણગાર સજીને શિવ મંદિરો તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોકત વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી. જેમાં વ્રતધારી બહેનો અબીલ-ગલાલ, કંકુ-ચોખા અને ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કરી બાદમાં વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીટાળી પ્રદક્ષિણા કરી પતિના દિર્ઘાયુષ્યની મંગલકામના કરવામાં આવી હતી. વ્રતની પૂજા બાદ દિવસ દરમિયાન કેટલાક બહેનો નકોરડા ઉપવાસ કરશ તો કેટલાક બહેનો દ્વારા ફરાળ કરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી.

(5:20 pm IST)