Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

અમદાવાદ સહીત મહાનગરોમાં વકરતો કોરોના :રાજ્યના છેલ્લા 24 કલાકમાં 165 નવા કેસ નોંધાયા:વધુ 77 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી :રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,945: કુલ 12,14.663 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 45.359 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 920 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 165 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 77 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.14.663 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.945 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.03 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 43.539  લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.05.90.448 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 920 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં એક દર્દી વેન્ટિલેટર પર છે,અને અને 919 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 165 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 90 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 19 કેસ, સુરત કોર્પોરેશનમાં 12 કેસ,ગાંધીનગર કોર્પોરેશનમાં 10 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 6 કેસ, જામનગર કોર્પોરેશનમાં 4 કેસ, મહેસાણા, નવસારી,વડોદરા અને વલસાડમાં 3-3 કેસ,અમદાવાદ, અમરેલી,આણંદ ,ભરૂચ અને કચ્છમાં 2-2 કેસ, બનાસકાંઠા અને જામનગરમાં 1-1 કેસ નોંધાયો છે

(7:43 pm IST)