Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વિરમગામ ખાતે શ્રી ચુંવાળ પરગણા રોહિત વિકાસ ટ્રસ્ટ સમૂહ લગ્ન સમિતિની કારોબારીની મીટીંગ મળી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : શ્રી ચુંવાળ પરગણા રોહિત વિકાસ ટ્રસ્ટ સમૂહ લગ્ન સમિતિની કારોબારીની મીટીંગ વિરમગામ ભરવાડી દરવાજા અંદર રોહિત વાસ મંત્રી મહેશભાઈ જશવંતભાઈ પરમારના નિવાસ્થાને મળી હતી. જેમા થયેલ સમૂહ લગ્ન ની વિગત તેમજ હિસાબો રજુ કરવામાં આવેલ જેની કમિટીના સભ્યોએ બહાલી આપેલ ને જનરલ બોર્ડની તારીખ નક્કી ટૂંક સમયમાં કરવામાં આવશે. જો કોઈ ગામ ની ઈચ્છા હોય તો જનરલ બોર્ડે તે ગામે બોલાવવામાં આવશે દિવસ અને તારીખ આપવા અ મ ને ગામનું નામ આપવા માટે વિનંતી છે જેથી કરી જનરલ બોર્ડ જલ્દીથી બોલાવી શકાય તેમ શ્રી ચુંવાળ પરગણા રોહિત વિકાસ ટ્રસ્ટ સમૂહ લગ્ન સમિતિના મંત્રી મહેશભાઈ  પરમારે જણાવ્યું હતું.

(7:39 pm IST)