Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

રાજપીપળા ખાતે ગાયત્રી પરિવારના આદ્યસંસ્થાપકના જન્મદિવસ નિમિત્તે રકદાન શિબિર યોજાઈ

રાજપીપળા ખાતે ગાયત્રી પરિવારના આદ્યસંસ્થાપકના જન્મદિવસ નિમિત્તે રકદાન શિબિર યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આધ સંસ્થાપક વેદ મૂર્તિ તપોનિષ્ઠ પ.શ્રી રામ શર્મા  આચાર્યના આધ્યાત્મિક જન્મદિવસ નિમિત્તે રાજ્યવ્યાપી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હોય જેમાં રાજપીપળા રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે હંમેશની જેમ આ સેવાકાર્યમા રાજપીપળા મિતગ્રુપના પ્રમુખ જીગ્નેશ ભાઈ વાસાવા તથા મિતગ્રુપના અન્ય સદસ્યો એ પણ રક્તદાન કર્યું હતું.
 અત્રે ઉલ્લેખનીય છે કે આ આયોજન રોટ્રેકટ રાજપીપળા, જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુજા સાહેલી,મીત ગૃપ, વાયબ્રન્ટ સ્કૂલ તેમજ અન્નપૂર્ણા ફાઉન્ડેશન ના સહયોગ થી કરવામાં આવ્યું હતું.

(10:27 pm IST)