Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વડોદરાના વાઘોડિયા રોડ નજીક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ધોળા દહાડે શ્રમજીવી પરિવારના ઘરમાંથી દોઢ લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા: શહેરના વાઘોડિયા રોડના બંધ મકાનમાંથી ચોર ટોળકી ધોળે દહાડે તાળા તોડીને શ્રમજીવી  પરિવારના ઘરમાંથી દોઢ લાખ  રૃપિયાની મત્તા લઇ ગઇ હતી.

વાઘોડિયા રોડ ઉપર કુંજ સોસાયટીની પાછળ અર્બન રેસિડેન્સીમાં રહેતા સંગીતાબેન સંજય રાજપૂત બંગલામાં કામ કરે છે .ગત ૧૨મી તારીખે રાત્રે તેમના પતિ કાર લઈને વર્ધી માટે મુંબઈ ગયા હતા .અને પોતે બંગલાના કામ કરવા માટે ગયા હતા .તેમનો ૧૪ વર્ષનો પુત્ર ૧૧ વાગ્યે મકાન બંધ કરીને પાણીગેટ દરવાજા પાસે કપડાં બદલવા માટે ગયો હતો.

કપડાં બદલીને એક વાગ્યે ઘરે આવ્યો ત્યારે મકાનના દરવાજાનો નકુચો તૂટેલો હતો .જેથી, તેણે પોતાની માતાને ફોન કરીને જાણ કરી હતી. ચોરીની વાત સાંભળતા સંગીતાબેન બંગલા નું કામ પડતું મૂકીને સંગીતાબેન ઘરે પરત ફર્યા હતા. અને જોયું તો બેડરૃમની તીજોરીમાંથી સોનાચાંદીના દાગીના તેમજ નવી કાર લેવા માટે ભેગા કરેલા એક લાખ રોકડા ચોર લઈ ગયા હતા .જે અંગે સંગીતાબેન એ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(6:07 pm IST)