Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

આણંદમાં પિતાઍ બે માસુમ દિકરીઓને મોતને ઘાટ ઉતારીને ગળે ફાંસો ખાઇ લીધોઃ કારણ અંગે રહસ્ય અકબંધ

આણંદ: આણંદમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જો કે, હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. ઘટનાની જાણ થતા આણંદ શહેર પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ત્રણેયના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરમાં સામૂહિક આત્મહત્યાનો બનાવ બન્યો છે. આણંદ શહેરમાં રહેતા એક પરિવારમાં પિતા અને બે માસૂમ દીકરીઓના મોત નીપજ્યા છે. પિતાએ પહેલા બે દીકરીઓની હત્યા કરી અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

જો કે, પિતાએ બંને દીકરીઓની હત્યા કરી કેમ આત્મહત્યા કરી તે પાછળનું કારણ અકબંધ છે. ત્યારે આ મામલે આણંદ ટાઉન પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટન સ્થળે દોડી આવ્યો હતો. આણંદ ટાઉન પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

(4:26 pm IST)