Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

દાહોદમાં ગુજરાતી એક્ટ્રેસ કિરણ આચાર્યની હાજરીમાં દેવગઢ બારીયાના ભાજપના 50 કાર્યકરો આપમાં જોડાયા

દાહોદ :અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી  હવે ગુજરાતમાં થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઝંપલાવવા જઇ રહી છે. સંગઠનમાં પોતાની રીતે ગુજરાતમાં મજબૂત થઇ રહેલી આમઆદમી પાર્ટી (AAP)માં દેવગઢ બારિયાના 50 ભાજપના કાર્યકર્તાઓ જોડાયા છે.

દાહોદમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાના જાહેરનામા આવી રહ્યાં છે તે સમયે આમઆદમી પાર્ટીનું કોંગ્રેસ ભાજપ સામે ચૂંટણી લડવા આગમન થઇ ગયું છે. પક્ષને અહીં મજબૂત કરવા એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષના પ્રદેશ પ્રવક્તા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની અભિનેત્રી કિરણ આચાર્ય તેમજ મધ્ય ગુજરાત સંગઠન મંત્રી અર્જુન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લા હોદ્દેદારોની હાજરીમાં ભાજપના 50 કાર્યકર્તાઓ કેસરિયો છોડીને આપમાં જોડાયા હતા.

હવે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ત્રીજા મોરચા તરીકે પોતાના પગ મજબૂત કરી રહી છે. ગુજરાતના લોકો ત્રીજા મોરચાને સફળ બનાવશે કે પછી ભાજપ અથવા કોંગ્રેસને સાથ આપશે તે જોવું રહ્યું.

(10:37 am IST)