Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રાજપીપળામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ મતદાન મથકો પર કામગીરી શરૂ

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં તારીખ 1.11.21 થી 30.11.21 સુધીનો મતદાર યાદી સુધારણા નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ખાસ ઝૂમબેશ ના ચાર રવિવાર પણ જાહેર કરાયા હોય આજે 14.11.21ના પ્રથમ દિવસ બાદ તા.21.11 .21તા.27.11.21 શનિવાર અને તા.28 11 21 ને રવિવાર આમ ચાર દિવસ માટે નર્મદા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કોઈપણ મતદારે પોતાના ચૂટણી કાર્ડમાં સુધારો વધારો કરવો હોય તો પોતાના મતદાન મથકે જઈ બુથ લેવલ અધિકારી ને મળી જરૂરી ફોર્મ ભરી સુધારો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

(10:46 pm IST)