Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

ભૂપેન્‍દ્રભાઇ પટેલ મકરસંક્રાંતિ નિમિતે જગન્‍નાથજીના દર્શનેઃ ગૌપૂજન-મિઠાઇ વિતરણ

રાજકોટ :મકરસંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણીમાં આપણી સંસ્‍કૃતિમાં પશુઓને ઘાસચારો અને જરૂરતમંદ લોકોને દાનનું મહાત્‍મ્‍ય છે.આ પરંપરાને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે પણᅠ સહજતા પૂર્વક નિભાવી હતી.મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે કાલે મકરસંક્રાંતિના અવસરે અમદાવાદમાંᅠ સવારે જગન્નાથજી મંદિરમાંᅠ ભક્‍તિ ભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા અનેᅠ ગૌ માતાનું પૂજન કર્યું હતું તથા ઘાસ નિરણ કર્યું હતું.તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્‍યું હતું.શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે મંદિર વિસ્‍તારમાં વસતા પરિવારો અને જરૂરતમંદ લોકોને મીઠાઈ વગેરેનું વિતરણ કર્યું હતું.

 

(10:47 am IST)