Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

વડોદરાના નાગરવાડાના વધુ એક મકાનને નિશાન બનાવી તસ્કરોએ 75 હજારની મતાની તસ્કરી કરતા પોલીસ ફરિયાદ

વડોદરાશહેરના ગીચ વિસ્તારોમાં ચોરીના વારંવાર બનાવ બની રહ્યા હોવાથી લોકો અસલામતીની લાગણી અનુભવી રહ્યા છે.વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી નાગરવાડા, સલાટવાડા, વાડી સહિતના ગીચ વિસ્તારોમાં કલાકોમાં જ બંધ મકાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાના બનાવો બની રહ્યા છે. જે પૈકી નાગરવાડા વિસ્તારમાં અગાઉ ચોરીના ચાર બનાવ બનતા લોકોએ રાત્રે ચોકી પહેરો પણ કરવાનું શરૂ કર્યું હતું. ગઇરાત્રે નવીધરતી નાગરવાડા વિસ્તારમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો હતો. વિપુલભાઇ રાવળે પોલીસને કહ્યું છે કે, નજીકના ફળિયામાં મારો સંબંધીને ત્યાં લગ્ન હોવાથી રાત્રે 10:30 વાગે મકાન બંધ કરી હવે લગ્ન પ્રસંગમાં ગયા હતા.

સવારે મારા માતા ઘેર ફરિયાદ આધારે મકાનનો દરવાજો ખુલ્લો હતો અને નકુચો તૂટેલો હતો. જ્યારે તિજોરી નો સામાન પણ વેર વિખેર હતો.તપાસ કરતા ચોરો મકાનમાંથી કુબેર ભગવાન ની સોનાની એક તોલાની મૂર્તિ, લક્ષ્મી માતાની એક તોલાની મૂર્તિ, ચાંદીનું મંગળસૂત્ર, સાંકળા, સિક્કા તેમજ રોકડા રૂ 5000 મળી અંદાજે પોણા લાખની મતા ચોરી કરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું.

(5:31 pm IST)