News of Wednesday, 17th April 2024
પાટણઃ હિંદુ ધર્મમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. મૃતજનોની આત્માની શાંતિ અને તૃપ્તિ માટે કેટલીક ખાસ તિથિઓ પર ખાસ જગ્યાઓને પિતૃઓના નિમિત શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. માન્યતા છે કે જ્યારે કોઇ વ્યક્તિનો શ્રાદ્ધ ભાવથી અને નિયમો સાથે કરવામાં આવતું નથી, તો મૃત વ્યક્તિને પૂર્ણ રૂપથી મુક્તિ મળી શકતી નથી.
પિતૃ પક્ષ દરમિયાન પિતરુઓનું આહવાન કરવામાં આવે છે અને તેના કલ્યાણની કામના કરતાં પ્રાર્થના કરવામાં આવે છે. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં આખુ વર્ષ ગમે ત્યારે શ્રાદ્ધ કર્મ કરવામાં આવી શકે છે અને પિતરોની આત્માની શાંતિ હેતુ પ્રાર્થના કરવામાં આવે છે.
પરંતુ શું તમે જાણો છો ભારતમાં એક એવી જગ્યા પણ છે, જ્યાં ફક્ત મૃત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃ શ્રાદ્ધ માટે ગયા પ્રસિદ્ધ છે, તો માતૃશ્રાદ્ધ માટે ગુજરાતના સિદ્ધપુરમાં બિંદુ સરોવર. આવો જાણો જાણીએ સરોવર સાથે જોડાયેલા કેટલાક ખાસ તથ્ય અને ખાસ વાતો.
ક્યાં છે બિંદુ સરોવર
તમને જણાવી દઈએ કે બિંદુ સરોવર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું છે, જે સિદ્ધ સ્થળના નામથી પ્રખ્યાત છે. આ એકમાત્ર જગ્યા છે જ્યાં મૃત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. ઋગ્વેદમાં પણ સિદ્ધપુરનું વર્ણન જોવા મળે છે. આ સ્થાન વિશે એવી માન્યતા છે કે અહીં મૃત મહિલાઓનું શ્રાદ્ધ કરવાથી તેમને મોક્ષ મળે છે. અને આત્માને શાંતિ મળે છે.
ક્યાં છે બિંદુ સરોવર
બિંદુ સરોવરની આસપાસ જ માતૃ તર્પણ કરવામાં આવે છે. અહીં એક પ્રાચીન કુંડ સ્થિત છે. આ ભારતની પાંચ પવિત્ર અને પ્રાચીન સરોવરમાંથી એક છે. સરોવરમાં મોટાભાગના લોકો આવે છે, જે પોતાની મા અથવા અન્ય મૃત મહિલાઓના અંતિમ સંસ્કાર કરવા માંગે છે. આ એક 40 ફૂટ ચોરસ કુંડ છે. તેની ચારેય તરફ પાકા ઘાટ બનેલા છે. અહીંયા બિંદુ સરોવરમાં સ્નાન કરીને મૃત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
અહીં માતાનું ઋણ ચૂકવે છે પુત્ર
બિંદુ સરોવરમાં પિંડ દાન માટે સૌથી પ્રચલિત સ્થાન છે. આ માન્યતા છે કે આ એક એવું સ્થાન છે, જ્યાં મહિલાઓ માતે પિંડદાન કરવામાં આવે છે. માન્યતા છે કે અહીંયા પિંડ દાન કરવાથી મૃત મહિલાઓના પૂર્વજોને શાંતિ મળે છે. હિંદુ પરંપરા અનુસાર સિદ્ધપુર જેને માતૃગયા તીર્થના નામથી ઓળખવામાં આવે છે, એક એવા સ્થળના રૂપમાં પ્રસિદ્ધ છે, જ્યાં પુત્ર પોતાની માતાનું ઋણ ચૂકવે છે. મૃત પૂર્વજોનું વિધિવિધાન સાથે શ્રાદ્ધ કરવામાં આવે છે. ત્યારે તેમની આત્માને શાંતિ મળે છે.