Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રૂપાલાના વિરોધ માટેની ક્ષત્રિય સમાજની સંકલન સમિતિમાં આંતરિક વિખવાદ ?

પદ્મિનીબા વાળા સંકલન સમિતિથી નારાજ:પદ્મિનીબાએ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ પર આકરા પ્રહારો કર્યાં

અમદાવાદ : રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાના વિવાદી વેણ બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી ફેલાઈ હતી અને રૂપાલાની ટિકિટ રદ  કરવાની માંગણી પર મક્કમ છે બીજીતરફ રૂપાલાએ ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે, આ દરમિયાન રૂપાલાના વિરોધમાં બનેલી સંકલન સમિતિમાં આંતરિક વિખવાદમાં ફસાઈ હોવાની ચર્ચા જાગી છે, 

 ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબાએ જણાવ્યું હતું કે, "એક સામાજિક પ્રશ્નને રાજકીય બનાવી દેવા છે. બધા લોકો સમાજ માટે બહાર આવ્યા છે, સમિતિ માટે નહીં. મારા સમાજને ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે. સમિતિએ અમારી આખી રણનીતિ બગાડી નાખી છે. સાચી લડત લડનારી બહેનોની અવગણના થઈ રહી છે

 

(11:09 pm IST)