Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

'હીરામણિ' સંકુલમાં ધ્વજવંદન : શિખરબદ્ધ મંદિરમાં નૂતન ધ્વજારોહણ

રાજકોટ : ૭૪માં સ્વતંત્રતા દિવસ પર્વ નિમિત્ત્।ે હીરામણી સ્કૂલ અમદાવાદ સોશિઅલ ડિસ્ટનસિંગના પાલન સાથે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઙ્ગ શ્રી અર્જુનભાઇ સી. ગોપાણી (શૈક્ષણિક સલાહકાર, હિરામણી સ્કૂલ) એ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ધ્વજ વંદન કર્યું. ધ્વજવંદન કાર્યક્રમ બાદ હીરામણી સ્કુલ ના શિક્ષકો દ્વારા કોરોના મહામારી, સ્વતંત્રતા સંદ્યર્ષ, ભારતીય સંસ્કૃતિ વગેરે જેવા જુદા જુદા વિષયો પર વ્યાખ્યાન આપવામાં આવ્યું. આ પ્રસંગે હીરામણી સંસ્થા ના પ્રમુખ નરહરિ અમીન, ઉપ પ્રમુખ નીતાબેન અમીન, મંત્રી આર સી પટેલ, ખજાનચી પંકજભાઈ ઠાકોર , સહ મંત્રી શ્રી પંકજ દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી વરૂણ અમીન, ગવર્નિંગ બોડી ના સભ્યો શ્રી ઘનશ્યામભાઈ અમીન, હરીકૃષ્ણ અમીન, પ્રવિણભાઈ અમીન, મૃદુલાબેન અમીન,આનંદ અમીન, આશિષ અમીન, ધર્મેશભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ પટેલ, સ્કૂલ સીઈઓ શ્રી ભગવત અમીન તેમજ સ્કૂલ ના આચાર્યશ્રીઓ અને શિક્ષકો, તેમજ ઘરડાઘરના વડીલો ઉપસ્થિત રહ્યા હતા. હીરામણિ સાંધ્યજીવન કુટિર ખાતે ૩૬ દેવ-દેવીઓના શિખરબદ્ધ મંદિરની ધ્વજા બદલવામાં આવેલ. આ અંગેની શાસ્ત્રોકત પુજાવિધિમાં વરુણ અમીન અને શ્રીમતી વિજુલ અમીન દંપતિએ ભાગ લીધો હતો.

(2:39 pm IST)