Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

સુરતમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા વિટામિન સી ના બદલે ઝેરી દવા પી જતા સરથાણાની મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યુ

સુરત: શહેરમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો વિવિધ પ્રકારની આયુર્વેદિક, હોમીઓપેથી સહિતની દવાઓ પીવે છે

તેવા સમયે રોગપ્રતિકારક શક્તિ વધારવાની વિટામિન સી ના બદલે ઝેરી દવા પી ગયેલી સરથાણાની મહિલાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણા ખાતે પુણા સીમાડા રોડ પર આવેલી પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા 40 વર્ષીય ભાવનાબેન પિયુષભાઈ મુંજપર એ ઘડીક 15મી મોડી રાત્રે ઘરમાં ઝેરી દવા ગટગટાવી ગયા હતા. જેથી તેમને સારવાર માટે તેમના પરિવારના સભ્યો સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તે મોતને ભેટ્યા હતા.

(6:13 pm IST)