Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો :નવા 191 કેસ નોંધાયા:વધુ 162 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ થયું : મૃત્યુઆંક 11.027 થયો :કુલ 12.61.048 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.16.986 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 1238 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 191 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 162 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,61.048 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું છે, અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મૃત્યુ થયું હહે  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,027 છે,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.04 છે

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 1.16.986 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,57.83.3904 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 1238 એક્ટિવ કેસ છે. જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1234 દર્દીઓ સ્ટેબલ છે.  .

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 191 કેસમાં સુરત કોર્પોરેશનમાં 45 કેસ, અમદાવાદ કોર્પોરેશનમાં 40 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 17 કેસ,વલસાડમાં 15 કેસ, ગાંધીનગર અને બનાસકાંઠામાં 11-11 કેસ, રાજકોટમાં 8 કેસ,, રાજકોટ કોર્પોરેશન અને સાબરકાંઠામાં 6-6 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 5 કેસ, મહેસાણા અને નવસારીમાં 4-4 કેસ, મોરબી,અને સુરતમાં 3-3 કેસ,આણંદ ,પાટણ, વડોદરામાં 2-2 કેસ, ભરૂચ, છોટાઉદેપુર, જામનગર, ખેડા,કચ્છ ,સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે, રાજકોટ,અને તાપીમાં 1-1 કેસ નોંધાયો

(7:56 pm IST)