Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

જનતા, સેવાભાવી સંસ્થાઓ અને સરકારના સંયુકત પ્રયાસોથી રાજ્યમાં કોરોના સંક્રમણને વધુ નિયંત્રિત કરી શકાશે : વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જામનગર ખાતે ૧૦૦ બેડની શ્રી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-ઉદ્ઘાટન

રાજકોટ તા. ૧૮ : જનતામાં જાગૃતિ, સેવાભાવી સંસ્થાઓનો સહયોગ અને રાજય સરકારના સંયુકત પ્રયાસોથી ગુજરાતમાં કોરોના સંક્રમણને વધુ નિયંત્રિત કરી શકાશે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ હોસ્પિટલના ઇ-ઉદ્દઘાટન પ્રસંગે ગાંધીનગરથી જણાવ્યું હતું.ઙ્ગઙ્ગ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે ખંભાળીયા હાઇવે જામનગર ખાતેની ૧૦૦ બેડની શ્રી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર ખાતેથી ઇ-ઉદ્દઘાટન કરાયું હતું.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રીએ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જામનગર જિલ્લાના લોકોની સેવા માટે ૧૦૦ બેડની કોવિડ ડેડીકેટેટ હોસ્પિટલ તૈયાર કરવા બદલ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં યોગ્ય સારવારની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રીઓના આર્શિવાદ પણ મળશે એટલે કોરોના સંક્રમિત દર્દીઓને દવા સાથે દુઆ મળશે.ઙ્ગ ઙ્ગઙ્ગ

આજે ગુજરાત સહિત સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી બાકાત નથી ત્યારે સરકારની માર્ગદર્શિકા મુજબ સામાજિક અંતર, માસ્ક પહેરવો, હાથ સેનેટાઇઝ કરવા તેમજ રાજય સરકાર દ્વારા અમદાવાદમાં ૧૨૦૦ બેડની, સુરતમાં ૧૦૦૦ બેડની તેમજ દરેક જિલ્લામાં ૧૦૦ બેડની કોવિડ ડેડીકેટેટ હોસ્પિટલ યુદ્ઘના ધોરણે તૈયાર કરીને રાજયમાં કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવી શકયા છીએ. રાજય સરકાર દ્વારા ICU, વેન્ટીલેટર, ભ્ભ્ચ્ કીટ, દવાઓ જેવી સુવિધાના કારણે રાજયમાં મૃત્યુદર ૨.૩ ટકા જેટલા નીચે લાવી શકયા છીએ. જયારે ગુજરાતમાં રીકવરી રેટ ૭૮ ટકાથી વધુ છે તેમજ હાલમાં પ્રતિદિન ૫૦ હજારથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેના પરિણામે ગુજરાતમાં ૫૮ ટકા લોકો કોરોનાથી સાજા થઈને ઘરે ગયા છે તેમ તેમને ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, કોરોનાની વચ્ચે 'જાન ભી હૈ જહાંન ભી હૈ'ને ધ્યાને રાખીને રોજીંદા કામો કરવા પડશે. આ દરમિયાન કોઇ સંક્રમિત થાય તો તેને યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકારે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે. કોરોની લડાઇ લાંબી ચાલવાની છે ત્યારે આપણે સૌએ સાથે મળીને કોરોનાને હરાવવો પડશે. સ્વામિનારાયણ ગુરૂકુળમાં આ આધુનિક ૧૦૦ બેડની ICU સાથેની આધુનિક સંપૂર્ણ સારવારથી સજ્જ કોવિડ ડેડીકેટેટ હોસ્પિટલ લોકોની સેવા માટે તૈયાર કરીને કોઠારી સ્વામીશ્રી ગોવિંદપ્રસાદ દાસજી અને તેમની ટીમે સમાજ સેવાનું શ્રેષ્ઠ કામ કર્યું છે તે બદલઙ્ગ મુખ્યમંત્રીશ્રીએ સૌને અભિનંદન આપતાં કહ્યું હતું કે, આ નવીન હોસ્પિટલમાં કોઇ દર્દી સારવાર માટે ન આવે તેવી પ્રભુને પ્રાર્થના પણ સંક્રમણ વધે તો દર્દીઓ માટે આ શ્રેષ્ઠ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે

કોઠારી સ્વામીશ્રી ગોવિંદપ્રસાદ દાસજી આ પ્રસંગે આર્શિવચન આપતાં કહ્યું હતું કે, ભારત વસુધૈવ કુંટુંબકમની ભાવના ધરાવતો દેશ છે. આપણે તમામના સ્વાસ્થની ચિંતા કરીએ છીએ. સ્વામીશ્રીએ જ્ઞાન યોગ, કર્મ યોગ અને ભકિત યોગનો મહિમા સમજાવ્યો હતો. સ્વામિનારયણ ગુરૂકુળ દ્વારા ચલવવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્ત્િ।ઓની માહિતી આપીને હોસ્પિટલના નિર્માણમાં સહયોગ બદલ તમામનો આભાર માન્યો હતો.ઙ્ગ

આ પ્રસંગે ડો. કે. એસ. નાયસરીએ સ્વાગત પ્રવચન તેમજ ડો. ગીરીશ ભીમાણીએ આભારવિધિ કરી હતી.ઙ્ગ

આ ઇ-ઉદ્દઘાટન પ્રસંગે ગાંધીનગર ખાતે કૃષિમંત્રી આર. સી. ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તેમજ જામનગર ખાતે મેયર, જિલ્લા પ્રમુખ, જિલ્લા કલેકટર રવિશંકર, જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ સહિત સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં.

(3:55 pm IST)