Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

નર્મદા જિલ્લામાં ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: કોરોના પોઝિટિવનો કુલ આંકડો ૫૪૫ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તેમ જિલ્લામાં નવા વધુ ૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૦૬ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા ની ચંદ્રવિલા સોસા-૧,લીમડાચોમાં-૧,જ્યારે નાંદોદ તાલુકાના વડિયા ૧, કુંવરપરા-૧ અને ગરુડેશ્વર ના કેવડિયા કોલોની માં ૨ મળી નર્મદા જિલ્લા માં કુલ ૦૬ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૦૯ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૫ દર્દીઓ દાખલ છે આજે ૧૫ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૪૯૯ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૫૪૫ પર પોહોચ્યો છે, આજે વધુ ૪૭૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:28 pm IST)