Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રાજયના દરેક ઘરોને નળથી પીવાનું શુદ્ઘ પાણી પૂરૂ પાડવામાં ગુજરાત અગ્રેસર હશે : આદિજાતી બંધુઓનાં ૧.૨૫ લાખ લોકોને જમીન હકો અપાયા : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો ૭૦મો જન્મ દિવસ ત્રણ લાખથી વધુ વનબંધુઓ માટે બન્યો જળક્રાંતિ દિવસ

રાજકોટ : અંબાજીથી ઉમરગામના વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રૂ. ૧ લાખ કરોડથી વધુની વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી ૅં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મ દિવસ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી ઉકાઇ જળાશય આધારિત રૂ. ૩૦૮ કરોડના ખર્ચે તૈયાર સાગબારા-ડેડીયાપાડા જૂથ પાણી પુરવઠા યોજનાનું ઇ-લોકાર્પણ  પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

(11:51 am IST)