Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

શ્રમયોગીઓની સતર્કતા ચકાસવા ચિરીપાલ ઇન્ડસ્ટ્રીઝ અને નંદન ડેનિમમાં મોકડ્રીલ

અમદાવાદઃ શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર હેઠળના નિયામક ઓૈદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્ય તંત્રના નેજા હેઠળ ચિરીપાલ ઇન્ડસ્ટ્રીઝ તથા નંદમ ડેનિમ અમદાવાદ ખાતે ફેકટરીમાં ઉભી થતી ઇમર્જન્સીને પહોંચી વળવા ફાયર મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જેમાં આગના બનાવનો સિનારીયો ઉભો કરી શ્રમયોગીઓની સતર્કતાની ચકાસણી કરાઇ હતી. એસેમ્બલી પોઇન્ટ પર એકત્ર થયેલા શ્રમયોગીઓને ડી બ્રિફીંગ દરમિયાન આગ સમયે કરવાની કામગીરીથી માહિતગાર કરાયા હતાં. મોકડ્રીલમાં ફેકટરીના શ્રમયોગીઓ તથા કંપનીના ડિરેકટર, નિયામક ઓૈદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારીઓ તથા શ્રમ અધિકારી હાજર રહ્યા હતાં.

(11:51 am IST)