Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

રાષ્ટ્રીય એકતા દિવસ માટે સલામતીનો પૂરતો બંદોબસ્ત રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રખાશે

૨૮ થી ૩૧ મી ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે

અમદાવાદ : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી તા.૩૧ મી ઓકટોબરના રોજ સરદાર પટેલ જન્મ દિવસ - રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે.

   તેને અનુલક્ષીને અગાઉ તા.૨૮ ઓકટોબર થી ત્રણ દિવસ સ્ટેચ્યુ પરિસર પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
   જો કે હાલમાં પ્રવાસનની મોસમ છે.એટલે લોક લાગણીને માન આપીને તા.૨૮ થી ૩૧મી ઓક્ટોબર દરમિયાન ઉપરોક્ત દિવસ માટેના પૂરતા સુરક્ષા બંદોબસ્ત સહિત sou પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાના નિર્ણયની જાહેરાત મુખ્ય કારોબારી અધિકારી દ્વારા કરવામાં આવી છે.એટલે હવે આ દિવસો દરમિયાન પ્રવાસીઓ sou ની મુલાકાત લઈ શકશે.

 

(7:01 pm IST)