Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

સુરતમાં યોગીએ કહ્યુ મોદી હૈ તો મુમકિન હૈ એ માત્ર સ્લોગન નથી, વાસ્તવિક્તા છે

કાશીમાં કાશીવિશ્વનાથધામ પીએમ મોદીના વિઝન તેમના નેતૃત્વ અને માર્ગદર્શનનું જ પરિણામ

ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે સુરતમાં ચૂંટણી સભા સંબોધી હતી. પ્રચાર માટે આવેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બે ચૂંટણી રેલી સંબોધી હતી. પહેલા તેમણે મોરબીના વાંકાનેરમાં અને ત્યારબાદ સુરતમાં સભા સંબોધી હતી.

  યોગીએ સુરતમાં સભા દરમિયાન જણાવ્યુ કે પીએમ મોદીન દૃઢ ઈચ્છાશક્તિને કારણે જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યુ છે.  2024 સુધીમાં રામ મંદિર બનીને તૈયાર થઈ જશે. વધુમાં તેમણે કહ્યુ કે કાશીમાં કાશીવિશ્વનાથધામ પીએમ મોદીના વિઝન તેમના નેતૃત્વ અને માર્ગદર્શનનું જ પરિણામ છે. વધુમાં યોગીએ કહ્યુ મોદી હૈ તો મુમકિન હે, એ માત્ર સ્લોગન નથી, વાસ્તવિક્તા છે.

(10:51 pm IST)