Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

દાહોદમાં વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભેલોકોને લાવવા-લઇ જવા માટે રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા ર૦૦ બસો મોકલાઇઃ આજથીર દિવસ સંખ્‍યાબંધ ગામડાના રૂટો કપાઇ ગયા

દાહોદમાં કાલે નરેન્‍દ્રભાઇનો વિશાળ કાર્યક્રમ યોજાયો છે. આ સંદર્ભે લોકોને લાવવા-લઇ જવા એસ.ટી. બસોનો ઉપયોગ થનાર હોય રાજકોટ એસ.ટી. ડિવીઝન પાસે ડીમાન્‍ડ આવતા ડ્રાઇવરો સાથે ગઇકાલે સાંજે ર૦૦ બસો દાહોદ મોકલાઇઃ પરીણામે આજથી તમામ લાઇનો ઉપરના સંખ્‍યાબંધ ગામોના રૂટો કપાતા મુસાફરોને ભારે હાલાકી-દેકારો બોલી ગયોઃ સાધનોના કહેવા મુજબ ગામડાના ૩૦ રૂટથી વધુ બસો કાપી નખાઇ છે, માંડ માંડ ૧ બસ ઉપલબ્‍ધ બનાવાઇ છે.

(3:37 pm IST)