Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદના બહેરામપુરા ખાતે શ્રી દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ સારવાર કેન્દ્રના વિવિધ વિભાગોની મુલાકાત લઈને પશુ-પક્ષીઓની સારવાર અંગે કરવામાં આવતી સંસ્થાની વિવિધ કામગીરી નિહાળી હતી.

તેમણે પશુ પક્ષીઓની સારવાર માટે બનાવવામાં આવેલ રજિસ્ટ્રેશન ડેસ્ક, ઓપરેશન થિયેટરથી લઈને આઇસીયુ વોર્ડ સહિતના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી તેમજ સારવાર માટે વપરાતાં વિવિધ મેડિકલ ઉપકરણો નિહાળ્યા હતા.

મુખ્યમંત્રીએ અબોલ પશુ-પક્ષીઓની કાળજી-સારવાર સહિતની સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. મુખ્યમંત્રીના હસ્તે સારવાર બાદ સાજા થયેલાં પક્ષીઓને ગગનમાં ઉડવા માટે મુક્ત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ શાહ તથા સંસ્થાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

(10:06 pm IST)