Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

વિજાપુર તાલુકાના હીરપુરા ગામ નજીક મિત્ર સાથે મળી બનેવીએ સાળાની હત્યા કરાવી નાખતા ચકચાર મચી જવા પામ્યો

વિજાપુર:તાલુકાના હિરપુરા ગામના લકવાગ્રસ્ત યુવાની પૂર્વાગ્રહથી પીડાતા તેના બનેવીએ તેના મિત્ર સાથે મળીને કાવતરૃ રચીને હત્યા કરી નાંખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે બન્ને આરોપીઓની અટકાયત કરીને તેમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

હિરપુરામાં રહેતા નિલેષ અશોકભાઈ પટેલ (૩૬ વર્ષ) ની લાશ ત્રણે દિવસ પહેલાં ગામમાં આવેલ ગુજરાતી શાળા પાછળથી લાશ મળી આવી હતી. જે અંગે વિજાપુર પોલીસે જાણવાજોગ ગુનો દાખલ કર્યો હતો. જોકેમૃતકના કાકાના દિકરા સાગર સુર્યકાન્ત પટેલને  પોતાનો ભાઈ અર્થિક રીતે પગભર હોવાથી આપઘાત કરવાના કોઈ સંજોગો ના હોવાથી તેના મોત અંગે શંકા  થઈ હતી. જેથી તમેણે તપાસ કરતાં જાણવા મળેલ કે,નવરાત્રીના નવમા નોરતાની રાત્રે ગામના ચોકમાં નિલેષ અને દિપક હર્ષદભાઈ પટેલ વાતો કરી રહ્યા હતા તે વખતે રાજુ ઠાકોરનો ફોન આવતા તે તેની સાથે ચાલતો ચોકમાથી ગામની બહાર આવેલા બસ સ્ટેન્ડ તરફ ગયા હતા. જેના કારણે શંકા પ્રબળ બનતાં તેમણે આ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે મૃતકના બનેવી સમીર અરવિંદભાઈ પટેલ અને તેના મિત્ર રાજુ રામસિંહ ઠાકોર સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.જેમાં જમીનના વિવાદમાં પૂર્વાગ્રહ રાખીને સમીર અને રાજુએ ભેગા મળીને નિલેષને બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવી કે અન્ય રીતે કાશળ કાઢી નાંખ્યું હોવાનો સામે આવ્યું છે.જેની તપાસ પીઆઈ બી.કે.પટેલ ચલાવી રહ્યા છે.

 

(5:17 pm IST)