Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

માત્ર એક રૂપિયાની ટોકન ફી લઈને IAS-IPS તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ અપાશે

પાટીદાર સમાજની દિકરીઓ માટે અત્યંત મહત્વપુર્ણ જાહેરાત : ઉમિયા કેમ્પ ખાતે ઉમિયા કેરીયર ડેવલોપમેન્ટ કાર્યરત

અમદાવાદ : પાટીદાર સમાજની દિકરીઓને સોલા ઉમિયા કેમ્પસ ખાતે માત્ર એક રૂપિયાની ટોકન ફી લઈને IAS-IPS તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તાલીમ આપવામાં આવશે. પાટીદાર સમાજની દિકરીઓ માટે અત્યંત મહત્વપુર્ણ જાહેરાત કરવામાં આવી હતી.

ઉમિયા મતાજી સંસ્થાન ઉઝાના માનદ મંત્રી દિલિપ નેતાજીએ મહત્વપુર્ણ જાહેરાત કરી હતી કે ઉમિયા કેમ્પ ખાતે ઉમિયા કેરીયર ડેવલોપમેન્ટ કાર્યરત છે.જેમાં સરકારના વિવિધ વિભાગો માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા IAS-IPS માટે યુપીએસસી-જીપીએસસી ની પરીક્ષા આપનાર દિકરીઓને માત્ર એક રુપીયાના ટોકન લઈને તાલીમ આપવામાં આવશે.

સોલા ઉમિયા કેમ્પસની વિશાળ જમીન પર રુપીયા 1500 કરોડના ખર્ચે મહત્વપુર્ણ પ્રોજેક્ટ સાકાર થશે.જેના ભાગરુપે આગામી તારીખે 11 થી 13 ડિસેમ્બર 2021 દરમિયાન ભવ્યાતિભવ્ય શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવશે.જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.જે પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા માતાજીનું 136 ફુટ ઉંચું ભવ્ય મંદિર નિર્માણ કરાશે.તમામા જ્ઞાતિના શ્રધ્ધાળુઓ માટે ભોજન વ્યવસ્થા,બેન્ક્વેટ હોલ ઉપરાંત 1500 દિકરી દિકરીઓ અને વર્કીંગ વુમન માટે અત્યંત સુવિધાયુક્ત અધ્યતન હોસ્ટેલ નિર્માણ કરવામાં આવશે. 51 કરોડ જેટલા ‘ માં ઉમિયા શરણમ મમ ‘ મંત્ર લખેલી મંત્ર બુકને સ્થાપિત કરવામાં આવશે. મહત્વપુર્ણ વાત એ છે કે માત્ર 100 જ દિવસમાં 51 કરોડ મંત્ર લખીને મંત્ર લેખન બુક તૈયાર કરાશે.100 દિવસના ટુંકા ગાળામાં 51 કરોડ મંત્ર લખવાનો રેકોર્ડ રચવામાં આવશે. માં ઉમિયા માતાજી સંસ્થાનના વહીવટમાં બહેનોની શક્તિને પ્રાધાન્ય આપવાના નિર્ણય અંતર્ગત કમિટિમાં બહેનોની સંખ્યા વધારીને 51 કરવાનો નિર્ણય કરાયો છે. સામાન્યમાં સામાન્ય પાટીદાર સભ્ય પણ ગૌરવભેર કહી શકે કે મંદિરનો માલિકી હક્ક મારો છે,એટલે જ દરેક વ્યક્તિને વહીવટી કાર્યમાં સામેલ કરવામાં આવશે. 20 નવેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલના હસ્તે ભુમિપુજન કાર્યક્રમ યોજાશે.જેમાં 10 હજાર કરતાં પણ વધારે શ્રધ્ધાળુઓ ભાગ લેશે.

મહિલા મહાઅધિવેશન કાર્યક્રમના મુખ્ય આયોજક અને મહિલા કન્વીનર ડો.જાગ્રુતિ પટેલે ઉપસ્થિત બહેનોને સમાજમાંથી કુરીવાજ દુર કરવા,વિધવા બહેનોને માન સન્માન આપીને તે બહેનોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા, દુષણો દુર કરવા, ખોટા ખર્ચાઓથી બચવા માટે વિવિધ પ્રેરણાદાયી શપથ લેવડાવવામાં આવ્યા હતા.

ડો. જાગ્રુતિબેન પટેલે વધુમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે વહીવટી શક્તિ, યુવા શક્તિ,મહિલા શક્તિનો સમાજના ઉત્થાન અને વિકાસ માટે મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ છે.નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકો સંગઠીત બનશે તો સમાજ તેજસ્વી બનશે.બહેનોએ પણ મંદિર નિર્માણ માટેની 500 રૂપિયાની એક ઈંટ માટે દાન ની સરવાણી વહાવી હતી. જેમાં બહેનોએ 500 રૂપિયાથી 5000 રૂપિયા સુધીના દાન કર્યા હતા.અમદાવાદના પુર્વ વિસ્તારમાં પણ માં ઉમિયા માતાજીનું મંદિર અને સોલા ઉમિયા કેમ્પસ જેવી સંસ્થાના નિર્માણની કાર્યવાહીને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સોલા ઉમિયા કેમ્પસ ખાતે આગામી તારીખ 11 થી 13 ડિસેમ્બર 2021 દરમિયાન યોજાનારા ભવ્યાતિભવ્ય શિલાન્યાસ કાર્યક્રમની તૈયારીના ભાગરુપે અમદાવાદ અને ગાંધીનગરની પાટીદાર બહેનો માટે મહિલા મહા અધિવેશનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 4000 કરતાં પણ વધારે મહિલાઓએ ભાગ લીધો હતો.

 

અમદાવાદ અને ગાંધીનગરથી બહેનોને સ્થળ પર લાવવા-લઈ જવા માટે 30 જેટલી એએમટીએસ બસની વ્યવસ્થા કરવમાં આવી હતી.

 

(7:58 pm IST)