Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

દરેક વ્યક્તિ તેના મિત્રો અને સંબંધીઓ સહિત 100-100 લોકોને વોટ્સએપ કરે અને AAPને વોટ કરવા અપીલ કરે: કેજરીવાલ 

 AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતના લોકો માટે એક વીડિયો સંદેશ જાહેર કર્યો

અમદાવાદ :  ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષો પ્રચારમાં લાગ્યા છે. તેવા સમયે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. તેવા સમયે AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતના લોકો માટે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં શાળા, હોસ્પિટલ, રોજગાર જેવા વચનોની વાત કરતા લોકોને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિ તેના મિત્રો અને સંબંધીઓ સહિત 100-100 લોકોને વોટ્સએપ કરે અને AAPને વોટ કરવા અપીલ કરે.

(7:04 pm IST)