Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

કાળા વાવટા સાથે શાંતિપૂર્ણ વિરોધ કરવો એ હક હોવા છતાં અટકાયત કેમ ?ક્ષત્રિય સમાજની ગુજરાત હાઇકોર્ટમાં PIL

ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસની દમનગીરી મુદે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી :કાળા વાવટા સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક હોવા છતાં અટકાયત કરે તે યોગ્ય નહીં તેવો અરજીમાં ઉલ્લેખ કર્યો

અમદાવાદ : રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપેલું અલ્ટીમેટમ પૂર્ણ થતાં આંદોલનની નવી રણનિતી ઘડી નાંખી છે. આજે ગોતા ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતીની બેઠક મળી હતી. જેમાં ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની હાજર રહ્યા હતા.ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઇકોર્ટમાં એક PIL કરી છે.

   પોલીસની દમનગીરી મુદે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ કાળા વાવટા સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક હોવા છતાં અટકાયત કરે તે યોગ્ય નહીં તેવો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.

     સમાજના આગેવાનોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા હોવા છતાં પોલીસ અટકાયત કરે તે મુદે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. એટલું જ નહીં, આગેવાનોએ પોલીસ ખોટી રીતે નજરકેદ અને અટકાયત ન કરે તે માટે કોર્ટ પાસે દાદ પણ માંગી છે. આ મુદ્દે સોમવારે હાઇકોર્ટમાં સુનાવણી થઈ શકે છે

   રૂપાલા વિવાદનો હજુ અંત નથી આવ્યો અને ભાજપે રૂપાલાની ટિકિટ પરત પણ ખેંચી નથી. જેથી હવે ગુજરાતભરમાં પરશોત્તમ રૂપાલાની વિરોધમાં પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિયોની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, રૂપાલાને માફી આપવા માટે ક્ષત્રિયો તૈયાર નથી. 

(12:10 am IST)