Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

કોંગ્રેસે કરેલા કામોનો તેમની પાસે હિસાબ નથી એટલે તેવો ગુજરાતમાં પ્રચારમાં આવતા નથી

તાપીના નિઝરમા કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા

અમદાવાદ :  ગુજરાત વિધાનસભા ઇલેકશનના પગલે રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કર્યો છે. જેમાં ભાજપ દ્વારા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ સહિત અનેક નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે તાપીના નિઝરમા કેન્દ્રીય મંત્રી અમિતભાઈ  શાહે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસનું કામ બોલે છે ના નારા સાથે કોંગ્રેસ પ્રચાર કરી રહી છે. પરંતુ કોંગ્રેસે કરેલા કામોનો તેમની પાસે હિસાબ નથી એટલે તેવો ગુજરાતમાં પ્રચારમાં આવતા નથી

 

(6:42 pm IST)