Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મુખ્‍યમંત્રી લોકપ્રશ્‍નો સાંભળશેઃ ગુરુવારે સ્‍વાગત ઓનલાઇન

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૨૧: મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ગુરૂવાર, તા.ર૩મી માર્ચે રાજય સ્‍વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે. આ ‘સ્‍વાગત' ઓનલાઇન જનફરિયાદ નિવારણનો રાજયકક્ષાનો કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવે છે.

આ ગુરૂવાર તા.ર૩મી માર્ચે મુખ્‍યમંત્રીશ્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્‍વર્ણિમ સંકુલ-ર ખાતે  મુખ્‍યમંત્રીશ્રી ઉપસ્‍થિત રહી પ્રજાજનોના પ્રશ્નો-સમસ્‍યાઓ સાંભળશે અને સંબંધિત સચિવો, અધિકારીઓ, વિભાગોના વડાઓને તેના સુચારૂ નિવારણ માટે માર્ગદર્શન આપશે.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્‍યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્‍યાન આ સ્‍ટેટ વાઇડ એટેન્‍શન ઓન ગ્રીવન્‍સીસ બાય એપ્‍લીકેશન ઓફ ટેક્‍નોલોજી'સ્‍વાગત કાર્યક્રમની શરૂઆત કરાવી છે.

(4:23 pm IST)