Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

કોંગ્રેસના મોઢે કાયદો-વ્‍યવસ્‍થાની વાત ન શોભે, ભાજપના રાજમાં શાંતિ-સલામતી : ઉદય કાનગડ

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૨૧ : આજે વિધાનસભા ગૃહમાં ગૃહ વિભાગની માંગણીઓ પર ચર્ચામાં ભાગ લેવા ભાજપના ઉદય કાનગડે જણાવ્‍યું હતું કે, કોંગ્રેસના મિત્રો કાયદો વ્‍યવસ્‍થાની વાત કરે છે તે શોભતુ નથી.

ભૂતકાળમાં નાની મોટી ચૂંટણીઓમાં મારામારી અને હત્‍યા સુધી બનાવો બન્‍યા છે. જે ભાજપના રાજમાં નથી બન્‍યું. ગુજરાતની વિશ્વમાં અને દેશભરમાં શાંતિની ગણત્રી ગુજરાતમાં છે અને ગુજરાતને શાંતિ માટે કાયદો વ્‍યવસ્‍થાને આભારી છે. કોંગ્રેસના લોકો ૨૭ વર્ષથી સત્તામાં ન હોય તો એમાં અમે શું કરીએ. કોંગ્રેસની પરિસ્‍થિતિ પાણીમાંથી માછલીને બહાર કાઢો તો તરફડે છે તેમ કોંગ્રેસની પરિસ્‍થિતિ આ માછલી જેવી છે.

આ સરકાર કાયદો અને વ્‍યવસ્‍થામાં ખૂબ જ કાળજી રાખે છે અને કોઇપણ ગુનેગારોને છાવરતી નથી. કોંગ્રેસના મિત્રો મારી વાતને સમજી શકતા નથી માત્રને માત્ર વિરોધ કરવા સિવાય કંઇ કરતા નથી. કોંગ્રેસના રાજમાં મંત્રીની હત્‍યા થતી હતી. આજે એ પરિસ્‍થિતિ નથી તેમ ઉદય કાનગડે જણાવ્‍યું હતું.

(4:47 pm IST)