Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

નર્મદા જિલ્લામાં વધુ ૧૦ કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લાનો કુલ આંકડો 565 થયો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તેમ જિલ્લામાં નવા વધુ ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળા ની રાજનગર-૧,કાછીયાવાડ-૧ તેમજ નાંદોદ તાલુકાના કાંદરોજ ગામમાં વધુ - ૪ કેસ જોવા મળ્યા જ્યારે ગરુડેશ્વર તાલુકા ના કેવડિયા કોલોનીમાં -૨,સાગબારા તાલુકાના સેલંબા માં -૨ મળી નર્મદા જિલ્લા માં કુલ ૧૦ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૨૪ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૦૪ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૨૨ દર્દીઓ દાખલ છે આજે ૦૪ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૫૧૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૫૬૫ પર પોહોચ્યો છે, આજે વધુ ૩૬૮ સેમ્પલ ચકાસણી હેઠળ છે. ગુરુવાર સુધીમાં નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નો કુલ આંક ૫૬૫ પર પહોંચ્યો છે.

(8:51 am IST)