Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

નડિયાદના બિલ્‍ડર દિલિપ શાહે જાતે ગોળીમારી આપઘાત કરતા ચકચાર

પોતાના ફાર્મ હાઉસમાં આપઘાત કરતા ઘટના સ્‍થળે નડિયાદ રૂરલ પોલીસ દોડી ગઇ

નડિયાદ :  નડિયાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં નડિયાદ નગરપાલિકાના માજી કાઉન્સિલર દિલીપ શાહે પોતાના રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. તેમણે પોતાના ફાર્મ હાઉસમાં જ આત્મહત્યા કરી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નડિયાદના ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને શહેરના જાણીતા બિલ્ડર દિલિપ શાહે પોતાના ફાર્મ હાઉસમાં આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા એલસીબી તેમજ નડિયાદ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. દિલિપ શાહનો પરિવાર પણ ફાર્મ હાઉસ પર આવી પહોંચ્યો છે. દિલિપ શાહનો મૃતહેદ ફાર્મહાઉની બહાર ઓસરીમાં એક ખાટલામાંથી મળ્યો હતો. તેઓના મૃતહેદની પાસે એક ગન પણ મળી આવી હતી. દિલિપ શાહે આપઘાત કર્યો છે કે તેમની હત્યા થઈ છે તે બાબતે પોલીસ તપાસ શરૂ થઈ છે.

પૂર્વ પ્રમુખ દિલીપ રમણિકલાલ શાહની આત્મહત્યાની માહિતી મળતા જ નડિયાદ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, હાલ દિલીપ રમણિકલાલ શાહની આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે.

(9:37 pm IST)