Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

શનિવાર સુધીમાં રાજકોટથી સુરત જતી તમામ બસોના રૂટ નિયમીત ચાલશે

હાલ ર૭ રૂટ ચાલુ છે જે ૧૦૦ ટકા ચાલવા લાગશે

રાજકોટઃ રાજકોટ એસ.ટી. ડીવીઝન દ્વારા રાજકોટ સુરતના રૂટ શનિવાર સુધીમાં ૧૦૦ ટકા કાર્યરત થઇ જશે.

સ્‍લીપર કોચ વાહનો જેવા કે રાજકોટ-સુરત, રાજકોટ-નવસારી (રાત્રે ૧૦-૩૦ કલાકે) જામનગર-સુરત વગેરે સહિતના રૂટો પણ ચાલુ થશે.

સોશિયલ ડિસ્‍ટન્‍સના નિયમ સાથે સોફામાં કુલ ૧૦, સ્‍ટ્રેચેબલ સીટમાં ર૦ સાથે સ્‍લીપર કોચમાં કુલ ૩૦ વ્‍યકતી બેસી શકશે. તમામ મુસાફરોની વિગત કંડકટર દ્વારા નોંધાશે તેમ રાજકોટ એસ.ટી. ડીવીઝનની યાદીમાં જણાવેલ છે.

(10:28 pm IST)