Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

સુરતઃ ડાયમંડના આ ગણેશજીની સામે કોહિનૂર પણ પડી જાય ફિક્કોઃ૬૦૦ કરોડ રૂપિયા છે કિંમત

હીરા ઉદ્યોગના બિઝનેસમેન કનુભાઈ આસોદરિયાના ઘરમાં બિરાજમાન આ ગણેશજી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે

સુરત, તા.૨૧: આવતીકાલથી જયારે સમગ્ર દેશમાં ગણેશઉત્સવ  ઉજવાશે ત્યારે કોરોના કાળ વચ્ચે યોજાતા આ ઉત્સવનો અનેરો આનંદ છવાશે. આ તકે દુનિયાના સૌથી કીમતી ગણેશજીની મૂર્તિ વિશે જાણવું રસપ્રદ રહેશે કે જેની સામે કોહીનુર પણ ફીકો પડે છે. આ મૂર્તિની કિંમત સાંભળી દ્યણા માણસો પોતાના મોંમા આગળા નાખી જાય છે. અને આ મૂર્તિની કિંમત છે અધધ ૬૦૦ કરોડ (૬૦૦ Cr rupeees) રૂપિયા જેટલી. આ ગણેશજી બિઝનેસ કનુભાઈ આસોદરિયાના ઘરમાં બિરાજમાન છે. એટલું જ નહીં પરંતુ તે મોમેન્ટો સ્વરૂપે દેશ-વિદેશી જાણીતા હસ્તીઓના દ્યરમાં પણ બિરાજે છે. આ મોમેન્ટો ગૃહમંત્રી અમિત શાહથી લઈને બાબા રામદેવ સુધીના મહાનુભાવોને કનુભાઈએ ભેટમાં આપેલા છે

 આ ગણેશજીની મુરતી હાલ સુરત ના હીરા ઉદ્યોગ માં એક ગુજરાતી પાસે છે આ ગણપતિ હીરા નગરીમા કાચા હીરાની ૧૮૨.૩ કેરેટની ગણેશજીની મૂર્તિ છે અને જેનું વજન છે ૩૬.૫ ગ્રામ છે. અને બજારમા તેની કિંમત કાઢવા જાય તો ૬૦૦ કરોડ રૂપિયા નીકળે છે. હીરાના આ ગણપતિની સૌથી મોટી ખાસિયત એ છે કે એ પ્રાકૃતિક છે અને તેને બનાવવામા નથી આવ્યા.

 અહી આ ૬૦૦ કરોડના આ ગણેશજી સૂરતના પ્રસિદ્ઘ હીરા વ્યાપારી કનુભાઇ આસોદરિયાના ઘરમા છે. આસોદરિયા પરિવારના જણાવ્યા અનુસાર આ ૧૨ વર્ષ પહેલા બેલ્ઝિયમમાથી આવેલ કાચા હીરામાથી જ આ હીરા તરીકે મળી હતી

 અહી આ ૬૦૦ કરોડના આ ગણેશજી સૂરતના પ્રસિદ્ઘ હીરા વ્યાપારી કનુભાઇ આસોદરિયાના ઘરમા છે. આસોદરિયા પરિવારના જણાવ્યા અનુસાર આ ૧૨ વર્ષ પહેલા બેલ્ઝિયમમાથી આવેલ કાચા હીરામાથી જ આ હીરા તરીકે મળી હતી   ગણેશઉત્સવમાં પ્રતિવર્ષ કનુભાઈ આસોદરિયાના આ શ્રીજીની ચર્ચા સમગ્ર દેશમાં થાય છે. જયારે તેમણે તેની તસવીરને ફ્રેમ સ્વરૂપે 'કરમ ગણેશ'ના નામથી ભેટમાં આપી છે.

(3:56 pm IST)