Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ગુજરાતની વીજ વિતરણ કંપની રાષ્ટ્રિય સ્તરે અગ્રિમ હરોળ પર ‍: કેન્દ્ર સરકારશ્રીના માપદંડો , નિર્દેશો અને વિવિધ યોજનાના અમલીકરણ મા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી. ની વીજ વિતરણ કંપનીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. મધ્‍ય ગુજરાત વીજ કંપની લી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. અને ઉત્‍તર ગુજરાત વીજ કંપની લી.ઓ મોખરે

ગુજરાત રાજયના ઉર્જા મંત્રાલય અને જીયુવીએનએલદ્વારા સુધારણા માટે લેવાયેલ વિવિધ પગલાંઓ જેમકે, વીજ સ્થાપનોની ચકાસણી, જૂના અને ખામીયુકત મીટર્સને બદલવા, ખામીયુકત વીજ વાયરો બદલવા, વીજ વિતરણ તંત્રનું સુદ્રઢીકરણ, અને માળખાગત સુધારણા તથા પ્રગતિ માટેની વિવિધ યોજનાઓ ના કારણે આ શક્ય બન્યું

ગાંધીનગર : વીજ વિતરણ કંપનીઓના વિભાજન બાદ વીજ ક્ષેત્રની સુધારણા અને  અમલીકરણ બાબત ગુજરાત રાજય સમગ્ર દેશમાં અગ્રેસર રહયુ છે. જીયુવીએનએલ હસ્તક ની ચારેય વીજ વિતરણ કંપનીઓ રાષ્ટ્રિય સ્તરે સતત ચમકતી રહેલ છે. કેન્‍દ્ર સરકારના  ઉર્જા મંત્રાલય દ્વારા કરવામાં આવતાં વાર્ષિક એકીકૃત રેન્કીંગમાં ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ અને યુજીવીસીએલ દ્વારા વહીવટી અને આર્થિક સિધ્‍ધિઓ માટે   એ + રેટિંગ  મેળવી પ્રથમ ૦૫  વીજ વિતરણ કંપનીઓમાં સ્થાન મેળવાયેલ છે. 

         રાજયના ઉર્જા મંત્રાલય અને  જીયુવીએનએલદ્વારા સુધારણા માટે લેવાયેલ વિવિધ પગલાંઓ જેમકે, વીજ સ્થાપનોની ચકાસણી, જૂના અને  ખામીયુકત મીટર્સને બદલવા, ખામીયુકત વીજ વાયરો બદલવા, વીજ વિતરણ તંત્રનું સુદ્રઢીકરણ, અને  માળખાગત સુધારણા તથા પ્રગતિ માટેની વિવિધ યોજનાઓ ના કારણે આ શક્ય બન્યું છે.

        કેન્દ્ર સરકારના આર-એપીડીઆરપી પ્રોજેક્ટ હેઠળ ૧૫% કરતા વધારે વીજ વિતરણ વ્યય વાળા શહેરોને વીજ વિતરણ વ્યય ઘટાડવાનો લક્ષ્યાંક હતો. આ યોજના અંતર્ગત વીજ વિતરણ કંપનીઓના વિવિધ ૮૪  શહેરોમાં વીજ માળખા સુદ્રઢીકરણની કામગીરી હાથ ધરાયેલ. જેના પરિણામે બધાજ ૮૪  શહેરોમાં વીજ વ્યય ઘટાડો શકય બનેલ. ૬૮ શહેરોમા આ વીજ વ્યય ૧૫ ટકાથી પણ ઘટી ગયેલ છે અને  ૪૨ શહેરોમા આ વીજ વ્યય એકી સંખ્યામાં એટલે કે ૯ટકા કરતાં ઓછો રહેલ છે, જેમાં સુરત, ભરૂચ, નવસારી, વડોદરા આણંદ, દાહોદ, રાજકોટ, ભુજ, પોરબંદર, ધોરાજી, હિંમતનગર, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, મોડાસા વગેર શહેરોનો સમાવેશ છે. 

       વધુમાં  વીજ વિતરણ કંપનીઓ માટેની કેન્‍દ્ર સરકારશ્રીની સૌથી મહત્વની  ’’ઉદય’’  યોજનાનો  હેતુ વિવિધ માપદંડો અંતર્ગત કાર્ય ક્ષમતા વધારી વીજ વિતરણ વ્યય ઘટાડવાનો તથા વીજળીની ખરીદ કિંમત ઘટાડવાના હતો.  સદર  યોજના અંતર્ગત  માર્ચ ૨૦૨૦ સુધીમાં ગુજરાત રાજ્યને ૧૩.૫૦ ટકા સુધી વીજ વ્યય ઘટાડવાનો લક્ષ્‍યાંક  અપાયેલ, જે ૧૧.૦૧ ટકા સુધી વીજ વ્યય ઘટાડી સફળતાપૂર્વક હાંસલ કરાયેલ છે, જે રાષ્ટ્રીય સ્તર ના સરેરાશ વીજ વિતરણ વ્યય ૧૮.૭૨  ટકા ની સાપેક્ષે ઘણા ઓછા છે.  

      કેન્દ્ર સરકારશ્રી સંચાલીત ઉદય પોર્ટલ ઉપર  ઉપલબ્ધ માહિતી અનુસાર છેલ્લા ૦૩ વર્ષ  ૨૦૧૮,૨૦૧૯,૨૦૨૦ માં ગુજરાત રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ક્રમાંક પર  છે.  

        તમીલનાડુ, તેલંગણા, કેરલા, કર્ણાટક, મહારષ્ટ્ર, પંજાબ, હરીયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ  જેવા અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાત રાજયમાં વીજ  વિતરણ વ્યય ઘણો ઓછો  છે.  

       વીજ ક્ષેત્રે સંશોધન અને  વિકાસ (આર એન્ડ ડી) તથા તેના અમલીકરણ માટે  ગુજરાત પ્રથમ એવું રાજય છે કે જેની પાસે પાસે પોતાનું અલગ  વિભાગ છે. વર્ષ  ૨૦૧૬ થી  સંશોધન અને  વિકાસ (આર એન્ડ ડી) વિભાગ (GPRD CELL) દ્વારા વીજ વિતરણ કંપનીની કાર્યક્ષમતાને નવી ઉંચાઇએ લઇ જાય  એવા  ધણાં નવા  સંશોધનો તથા  પાયલટ પ્રોજેકટ સફળતાથી કરવામાં આવેલ છે. 

આ બધી કામગીરીઓ દ્વારા ગુજરાત રાજયની વીજવિતરણ કંપનીઓ નોંધપાત્ર સિધ્‍ધિઓ હાંસિલ કરવા સક્ષમ બનેલ છે. 

વીજચોરી નાથવા માટે વીજીલન્સ તંત્ર અંતર્ગત ૧૬ જીયુવીએનએલ પોલીસ સ્ટેશન અને ૩૬ ખાસ અદાલતો સાથેના સ્થાપના કરનાર પ્રથમ રાજય બનેલ છે. 

સમગ્ર દેશમાં અમલી R-APDRP, IPDS , DDUGJY & UDAY યોજના ની કામગીરી પુર્ણ કરનાર ગુજરાત પ્રથમ રાજય છે.

રાષ્ટ્રીય માથાદીઠ વીજ  વપરાશ ૧૧૮૯ યુનીટસ સામે લગભગ બમણો ૨૨૨૫ યુનીટ  વપરાશ  ઘરાવનાર રાજય છે.

IPDS યોજનાના કાર્યાન્વિત માપદંડોમાં ગુજરાત રાજયની વીજવિતરણ કંપનીઓએ પ્રથમ ૬ ક્રમાંક માં સ્થાન મેળવેલ છે.

DDUGJY યોજના ના  કાર્યાન્વિત માપદંડો અંતર્ગત ગુજરાત પ્રથમ રાજય.

રાજ્ય ના ઉર્જા વિભાગ, જીયુવીએનએલ તથા જીયુવીએનએલ હસ્તકની તમામ વીજ કંપનીઓ દ્વારા વિવિધ સિધ્‍ધિઓ માટે ૨૨૯ રાષ્ટ્રીય પારિતોષિકો મેળવવામા આવેલ છે. 

      રાજયના દરકે ખૂણાંમાં  ૧.૫૮ કરોડ ગ્રાહકોને 24x7 સતત, સાતત્યપૂર્ણ, ગુણવત્તાયુકત અને  સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવા રાજ્ય નો ઉર્જા વિભાગ સતત  પ્રયત્નશીલ છે.

(4:57 pm IST)