Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

વડોદરાના ગોરવા સહીત સુભાનપુરામાં એકલવાયા જીવનથી કંટાળી બે સિનિયર સિટિઝનોએ આપઘાત કરતા અરેરાટી

વડોદરા:ગોરવા અને સુભાનપુરા વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા બે સિનિયર સિટિઝનના અવસાન થતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

ગોરવા ગુજરાત હાઉસીંગ બોર્ડ વિજયનગરમાં રહેતા ૭૨ વર્ષના નવિનભાઈ  પીટરભાઈ કુલકર્ણી એકલવાયુ જીવન જીવતા હતા. તેમની એક પુત્રી કેનેડા રહે છે. બે દિવસથી તેમણે ઘરનો દરવાજો નહીં ખોલતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી. ગોરવા પોલીસે ઘરે આવીને જોયું તો નવીનભાઈ મૃત્યુ પામેલી હાલતમાં હતા. તેમનો મૃતદેહ પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.

અન્ય એક બનાવમાં સુભાનપુરા હાઈટેન્શન રોડ  જેએમકે એપાર્ટમેન્ટમાં રહેતા ૬૩ વર્ષના   નૈશધભાઈ રાજેન્દ્રભાઈ જોશી પણ એકલવાયુ જીવન જીવતા હતા. તેમની એક પુત્રી અમેરિકા રહે છે. નૈશધભાઈએ પણ ઘરનો દરવાજો નહી ખોલતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી. ગોરવા પોલીસે આવીને તપાસ કરી તો નૈશધભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

(5:41 pm IST)